Sunhare Kal Ki Aur in Gujarati (સોનેરી આવતીકાલ તરફ...)
ISBN: 978-81-288-1207-1
Format: 14.0x21.6cm
Liczba stron: 250
Oprawa: Miękka
Wydanie: 2025 r.
Język: gudźarati
Dostępność: dostępny
સતત પરિશ્રમ અને લગનના જોરે કઈ રીતે એક સામાન્ય વ્યક્તિ સફળતાના શિખરો સર કરે છે એ વાતને સી.બી.આઈ.ના ભૂતપૂર્વ નિર્દેશક શ્રી જોગિન્દર સિંહે (આઈ.પી.એસ. સેવાનિવૃત્ત) ખૂબ જ માર્મિક રીતે ચરિતાર્થ કરી છે. સફળતાની કહાની કહેતા એમના લેખો કોઈ પણ મહત્ત્વાકાંક્ષી યુવાન વ્યક્તિ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે તેમ છે. શ્રી જોગિન્દર સિંહ દ્વારા લખાયેલા આ પુસ્તકમાં આત્મ-સુધા૨ના સચોટ મંત્રો છે. પોતાની વિજયગાથામાં એમણે સફળતાના રહસ્યો ખોલ્યા છે અને જણાવ્યું છે કે કઈ રીતે વિજેતા બનવાનો સફર ખેડાય છે. એક મંત્ર જે તમને શિખર સુધી પહોંચાડી શકે છે એ કંઈક આવા છે - તમારા માટે શ્રેષ્ઠ તક શોધો, મોટા-મોટા સપના જુઓ અને એને સાકા૨ ક૨વા માટે સખત પરિશ્રમ સાથે જોડાઈ જાવ. વિજેતા થવા માટે જરૂ૨ છે તો બસ પોતાના હુનર અને દૃષ્ટિકોણને સકારાત્મક દિશામાં વાળવાની. યાદ રાખો, સફળતા હંમેશાં ઇચ્છાથી જ આગળ ધપતી હોય છે. થોડીક મહેનત અને થોડુંક બલિદાન તમને સફળતા તરફ દોરી જઈ શકે છે. તમારો વર્તમાન ખૂબ મહત્ત્વનો છે. જે આશાઓ છે એ ત્યારે જ સાકાર થઈ શકે, જ્યારે તમે કેન્દ્રિત થાવ. કા૨ણ કે ઉદ્દેશ્ય જ